Friday, October 24, 2008

જે બોલે છે એ જાણતો નથી અને જે જાણે છે એ બોલતો નથી. – રામદાસજી

~ નડિયાદ સંતરામ મંદિર ~


* * *
છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે
ઍ જ કરતું હોય છે વ્યાકુળ બધાને આખરે

ઝાડ જેવું હોય છે અસ્તિત્વ આ પણ આપણું
વિસ્તરે છે સ્થૂળ દાટી મૂળ બધાને આખરે

આપણી આ ગડમથલ તો છે અભિવ્યક્તિ તણી
વ્યક્ત થાવું હોય છે જળમૂળ બધાને આખરે

ઝાંઝવા પાછળ બહું ભટકો પછી સમજાય છે..
અર્થ રણનો વિસ્તરેલી ધૂળ બધાને આખરે.

દોરવાનું હોય છે ગતિના ગણિત આ કાળથી -
ઝિન્દગીના નામનું વર્તુળ બધાને આખરે.
from..USA
Dr.Bhadresh Shah

No comments:

Post a Comment