




પરમ તત્વ સમીપે જતાં માણસે પોતાના દુ:ખ અને સુખ, આનંદ અને પીડા, પ્રેમ અને દ્વેષ બધું જ કોઈ અદષ્ટ ખીંટી પર લટકાવતા જવાનું છે. ખીંટી માણસને કેટલો નરવો બનાવે છે ! આખા જીવન દરમિયાન મનુષ્ય ખીંટી પર રોજબરોજ કેટકેટલું લટકાવતો રહે છે અને છેવટે પોતેય ખીંટીએ લટકી જાય છે, તસવીર બની.